દેશમાં પહેલીવાર: સાળંગપુર કષ્ટભંજન દેવના નામ અને દિવ્ય સ્વરૂપોને મળી કૉપીરાઇટ-ટ્રેડમાર્ક સુરક્ષા, ટ્રસ્ટની મંજૂરી વિના વ્યાવસાયિક ઉપયોગ પર પ્રતિબંધ
બોટાદ/સાળંગપુર: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના પવિત્ર અને આધ્યાત્મિક વારસાના સંરક્ષણ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એક અત્યંત ઐતિહાસિક અને મોટું પગલું ભરવામાં આવ્યું છે. સાળંગપુર હનુમાનજી દાદાના વિવિધ દિવ્ય સ્વરૂપો, ચિત્રો અને આધ્યાત્મિક અભિવ્યક્તિઓને હવે સત્તાવાર રીતે આધુનિક કાનૂની માળખા હેઠળ કૉપીરાઇટ (Copyright) અને ટ્રેડમાર્ક (Trademark) ની સુરક્ષા મળી ગઈ છે. દેશભરમાં કોઈ […]




