સુરત: ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં આપઘાતની બે હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે. અમરોલી અને વેડરોડ વિસ્તારમાં બે આશાસ્પદ યુવાનોએ ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. એક યુવાને લગ્ન ન થતા હોવાના દુઃખમાં તો બીજાએ સ્ટ્રેસને કારણે આ આત્મઘાતી પગલું ભર્યું છે.
કેસ ૧: ‘હું હારી ગયો છું’ – સચિનની અંતિમ ચીઠ્ઠી
અમરોલીના છાપરાભાઠા રોડ પર આવેલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા ૨૯ વર્ષીય Sachin Rameshbhia Pipaliya એ પંખા સાથે દોરી બાંધી Suicide કરી લીધો હતો. સચિન હીરાના કારખાનામાં મશીન રીપેરીંગનું કામ કરતો હતો.
-
Heartbreaking Suicide Note: સચિને મરતા પહેલા ગુજરાતીમાં એક પાનાની સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું, “મમ્મી-પપ્પા હું જીવનથી કંટાળી ગયો છું, હું હારી ગયો છું, મને માફ કરી દેજો.”
-
The Reason: પોલીસ Investigation માં બહાર આવ્યું છે કે, લાંબા સમયથી લગ્ન ન થતા હોવાને કારણે સચિન માનસિક હતાશામાં (Depression) હતો.
કેસ ૨: BCA ના વિદ્યાર્થીએ અભ્યાસના ટેન્શનમાં જીવન ટૂંકાવ્યું
બીજી ઘટના વેડરોડ વિસ્તારની ભગુનગર સોસાયટીમાં બની છે. અહીં રહેતા ૨૨ વર્ષીય Sharmil Mukeshbhai Mandavia, જે BCA Third Year Student હતો, તેણે લોખંડના પાઇપ સાથે ફાંસો ખાઈ લીધો હતો.
-
Study Pressure: મૂળ બોટાદનો શર્મિલ અભ્યાસમાં તેજસ્વી હતો, પરંતુ Exam Stress અથવા અભ્યાસના ભારણને તે સહન કરી શક્યો નહીં.
-
Police Action: ચોકબજાર પોલીસે આ મામલે Accidental Death નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સળગતા સવાલો: ક્યાં સુધી આપણા યુવાનો આમ હારતા રહેશે?
આ બંને ઘટનાઓએ સુરતને હચમચાવી દીધું છે. સવાલ એ થાય છે કે:
-
શું સામાજિક દબાણ અને Mental Health મુદ્દે આપણે હજુ પણ જાગૃત નથી?
-
શું માત્ર એક પરીક્ષા કે લગ્ન ન થવા એ જીવનના અંત કરતા મોટા છે?
-
પરિવાર અને મિત્રો કેમ યુવાનોના મનની વ્યથા પારખવામાં નિષ્ફળ રહ્યા?
લાલકાર ન્યૂઝની અપીલ: કોઈપણ મુશ્કેલી કાયમી હોતી નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત Depression કે Negative Thoughts થી પીડાતા હોવ, તો મહેરબાની કરીને વિશ્વાસુ મિત્ર, પરિવાર કે Helpline Number ની મદદ લો. જીવન કિંમતી છે, હારવાનું નથી!