નવી દિલ્હીઃ રાષ્ટ્રગીત, વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે, સંસદમાં (Parliament Winter session) યોજાનારી ખાસ ચર્ચામાં રાજકીય માહોલ ગરમાયો છે. વડાપ્રધાને એક મહિના આગાઉ જ વંદે માતરમમાંથી અમુક પદ હટાવીને કોંગ્રેસે વિભાજનના બીજ વાવ્યાં હતા એવું નિવેદન આપ્યું હતું. આ વાત મુદ્દે કોંગ્રેસે સાંસદમાં ભારે વિરોધ કર્યો હતો.

દસ કલાકની ચર્ચા
લોકસભામાં દસ કલાકની ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને સંભવતઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. વિરોધ કે હોબાળાનું કોઈ સીધું કારણ નથી, પરંતુ વિપક્ષની સંમતિને કારણે, ચર્ચા ફરી એકવાર શિયાળુ સત્ર ફરી આ કારણે ગરમાઈ શકે છે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રગીતને વિકૃત કરવાની ઐતિહાસિક હકીકતનો પુનરોચ્ચાર કરી શકે છે, જે વિપક્ષને અસ્વસ્થ અને ઉશ્કેરિત કરી શકે છે. કેટલાક વિપક્ષી સાંસદો તરફથી આકરી ભાષામાં વિરોધ કરવામાં આવી શકે છે. રાષ્ટ્રગીત ગાવા પર ઘણીવાર વિવાદો ઉભા થયા છે. એવું માનવામાં આવે છે કે આ ચર્ચામાં ઘણા અજાણ્યા તથ્યો બહાર આવી શકે છે.
વધુ તથ્યો બહાર આવી શકે
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા વડાપ્રધાને ઐતિહાસિક પુરાવાઓને ટાંકીને કહ્યું હતું કે, 1937ના કોંગ્રેસ પરિષદમાં વંદે માતરમ સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી. વંદે માતરમનો આત્મા, તેનો મહત્વપૂર્ણ શ્લોક, દૂર કરવામાં આવ્યો હતો. ગીતના ટુકડા થઈ ગયા હતા. આ ભાગલાએ જ દેશના વિભાજનના બીજ વાવ્યા હતા. આ મહાન રાષ્ટ્રીય મંત્ર સાથે આટલો અન્યાય કેમ કરવામાં આવ્યો? આજની પેઢીએ આ ઇતિહાસને સમજવો જોઈએ. આ વિભાજનકારી માનસિકતા આજે પણ રાષ્ટ્રને પડકાર ફેંકી રહી છે. તેઓ દુર્ગા શબ્દ દૂર કરવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા અને પાછળથી, ઘણા ભાજપના નેતાઓએ તેને રાહુલ ગાંધીના શક્તિ સાથે લડવાના તાજેતરના નિવેદન સાથે જોડ્યો હતો. સૂત્રો કહે છે કે સ્વતંત્રતા ચળવળના આ જીવનગીત અંગે ઘણા વધુ તથ્યો બહાર આવી શકે છે, જે વિપક્ષ માટે અસ્વસ્થતાભર્યા હશે.

બંગાળ ક્નેક્શન
તાજેતરના સમયમાં, બાબરી મસ્જિદ અંગે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ઇરાદા અંગે વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને લોકસભામાં પાર્ટીના ઉપનેતા ગૌરવ ગોગોઈ સહિત લગભગ આઠ વક્તાઓ ચર્ચામાં ભાગ લે તેવી અપેક્ષા છે. તેવી જ રીતે અન્ય પક્ષોના નેતાઓ પણ પોતાના વિચારો વ્યક્ત કરશે. તૃણમૂલ કોંગ્રેસનું વલણ ખાસ કરીને નોંધપાત્ર રહેશે, કારણ કે રાષ્ટ્રગીતનું મૂળ બંગાળમાં છે. તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલો એક સમુદાય ખુલ્લેઆમ વંદે માતરમનો વિરોધ કરે છે, જ્યારે સામાન્ય બંગાળીઓ સાથે તેનો ભાવનાત્મક જોડાણ સ્વાભાવિક છે.